ટંકારામાં વાલ્મીકિ સમાજ દ્વારા સરપંચ-ઉપસરપંચ અને અગ્રણીઓનું સન્માન

- text


ટંકારા : ટંકારા વાલ્મીકિ સમાજે નવા ચુંટાયેલા સરપંચ, હોદ્દેદારો અને અગ્રણીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો.જેમા શહેરના વિકાસ માટે તેઓ કટીબદ્ધ છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

- text

ટંકારાના સમસ્ત વાલ્મીકિ સમાજ દ્વારા નવનિયુકત સરપંચ ગોરધનભાઈ ખોખાણી અને ઉપસરપંચ નિર્મળાબેન હેમંતભાઈ ચાવડાને સન્માનિત કરી આવકાર્યા હતા.તદ્ઉપરાંત કોંગ્રેસના પ્રમુખ અને જીલ્લા પંચાયતના સદસ્ય ભુપત ગોધાણી,રાજકીય તજજ્ઞ અરજણભાઇ ઝાપડા,સામાજિક કાર્યકર હેમંતભાઈ ચાવડાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓએ ગામના વિકાસના કાર્યો કરવા પર ભાર મુક્યો હતો.

- text