મોરબીમાં રવિવારે નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પ

- text


દર્દીઓએ નામની નોંધણી કરાવી ફરજીયાત

મોરબી : મોરબીમાં જન જાગૃતિ અભિયાન તેમજ ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા આયુર્વેદ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં વિવિધ રોગોનું આયુર્વેદિક દવાથી નિદાન કરવામાં આવશે.આ કેમ્પનો લાભ લેવા માટે નામની નોંધણી કરાવી ફરજીયાત છે.

- text

મોરબીમાં જન જાગૃતિ અભિયાન તેમજ ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા આયુર્વેદ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ રોગોનું નિદાન,ચેકઅપ કરવામાં આવશે.આ કેમ્પનું આગામી તા.23ને રવિવારે સવારે 9 થી 1 વાગ્યા સુધી ગાયત્રી ચેતના કેન્દ્ર,ગુજરાત હાઉસિંગ બોર્ડ,શનાળા રોડ-મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પનો લાભ લેવા માટે નામની નોંધણી ચેતનાકેન્દ્રમાં કરાવવી ફરજીયાત છે.આ કેમ્પમાં વર્ષોથી પીડા આપતા હઠીલા રોગનું તાત્કાલિક નિદાન કરવામાં આવશે.અલોપેથીની સારવારથી થાક્યા હોય તો તેમાંથી રાહત મળશે.તાજેતરની કોઈ બીમારી હોય તો રોગમુકિત માટે ફ્રી ચેકઅપ કરી આપવામાં આવશે તેવું યાદીમાં જાણવવામાં આવ્યું છે.આ કેમ્પનો લાભ વધુને વધુ લોકો લઇ શકે તે માટે જાહેર જનતાને આમત્રંણ આપવામાં આવ્યું છે.વધુ માહિતી માટે મો.6352299810 પર સંપર્ક કરી શકાશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text