ટંકારાથી વાંકાનેર જતી પીકઅપ વાન રોડ નીચે ઉતરી જતા ચાલકનું મોત

- text


ટંકારા : ટંકારાથી વાંકાનેર તરફ જતી પીકઅપ વાનને અમરાપર ટોળ ગામ વચ્ચે અકસ્માત નડતા ગાડી રોડ ઉપરથી નીચે ઉતરી જતા પીકઅપ ચાલકનું મોત નીપજ્યું હતું.

ટંકારા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ નજીક યદુનંદન -2માં રહેતા યોગેન્દ્રસિંહ કિર્તીસિંહ જાડેજા, ઉ.૩૫ મહિન્દ્રા પીકઅપ વાન રજિસ્ટ્રેશન નંબર જી.જે.36.ટી- 4311 લઈને ટંકારાથી વાંકાનેર તરફ જતા હતા ત્યારે અમરાપર ટોળ નજીક વળાંક આવતા ગાડીના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી રોડની બાજુમા આવેલ વેણમા ઉતરી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

અકસ્માતના આ બનાવ અંગે મૃતકના ભાઈ જયેન્દ્રસિંહ કિર્તીસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text