પરણીતાએ ચાર મહિનાના લગ્નજીવનમાં જ જીવાદોરી ટૂંકાવી

- text


વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામનો બનાવ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે ચાર મહિના પૂર્વે જ પ્રભુતામાં પગલાં માંડનાર પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી મોત વ્હાલું કરી લેતા ચકચાર જગાવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રહેતા મનીષાબેન સુરેશભાઇ ડાભી ઉ.વ-૧૮ નામની પરિણીતાએ ગઈકાલે પોતાના ઘેર ઝેરી દવા ગટગટાવી લેતા પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

- text

આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મનિષબેનના ચાર મહિના પૂર્વે જ લગ્ન થયા હોવાનું અને તેઓ સાસુ સસરાથી અલગ રહેતા હોવાનું અને સંતાન ન હોવાનું સામે આવ્યું છે. આ મામલે ડીવાયએસપી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text