222 દિવડાની આરતી સાથે હળવદમાં જલારામ જયંતીની ઉજવણી

- text


 

ધામધુમપુર્વક શોભાયાત્રા નીકળી : ધુન-ભજન, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા

હળવદ : હળવદ જલારામ મંદિરે આજે પુજ્ય જલારામ બાપાની ૨૨૨મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ૨૨૨ દિવડાની આરતી અને શોભાયાત્રાના આયોજન પણ કરાયા હતા.

હળવદ શહેરમાં આવેલ લોહાણા સમાજની વાડી ખાતે આજે પુજ્ય જલારામ બાપાની ૨૨૨મી જન્મજયંતિના અવસરે અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં બપોરે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી સાથે જ સાંજે ધુન- ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ૨૨૨ દીવડાની મહાઆરતી અને ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રઘુવંશી સોશ્યલ ગ્રુપ હળવદ દ્વારા ભારે જહેમત ઊઠાવી હતી.

- text