મોરબી જલારામ મંદિરે રાહતદર અડદિયા વિતરણ

- text


 

તા.12ને ગુરુવારથી સૂકામેવાથી ભરપુર શુદ્ધ ધીના અડદીયા વિતરણ કરાશે

મોરબી : વિવિધ પ્રકારના સેવા કાર્યો કરતા જલારામ મંદિર મોરબી દ્વારા તા.12ને ગુરુવારથી શુદ્ધ ધી અને સુકામેવાથી ભરપૂર અદડીયાનું રાહતદરે વિતરણ કરાશે.

શિયાળાનો પગરવ શરૂ થઈ ગયો છે, ફુલ ગુલાબી ઠંડી નો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે પ્રતિવર્ષ ની જેમ આ વર્ષે પણ મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુધ્ધ અમૂલ ઘીમાંથી બનેલ સૂકામેવાથી ભરપુર અડદીયાનુ સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ તા.૧૨-૧૧-૨૦૨૧ થી શરૂ કરવામા આવશે.

- text

અડદીયા મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી. અડદીયા વિતરણ સમગ્ર શિયાળાની મોસમ દરમિયાન કરવામા આવશે. દરરોજ તાજા અડદીયાનુ પ્રતિકીલો રૂ.૩૦૦ના ભાવે વિતરણ કરવામા આવશે. શુધ્ધ ઘીમાંથી બનેલ સુકામેવાથી ભરપુર અડદીયા મેળવવા શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યા પુરી રોડ, મોરબીનો સંપર્ક કરવા જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે.

- text