મોરબીમાં શનિવારે શ્રીમદ્દ ભગવદ ગીતાના જ્ઞાની સંતની પધરામણી

- text


મોરબી : આગામી 23 તારીખે મહામંડલેશ્વર શ્રીમદ્દ ભગવદ ગીતા મનીષી મમં સ્વામી જ્ઞાનાનંદ મહારાજ મોરબી પધારશે.

વિશ્વની સહુથી મોટી ગીતા લાયબ્રેરી ગીતાજી ગુરુકુળ તથા આયુર્વેદ ઉપચાર કેન્દ્ર જ્યાં લાખો ગૌમાતા આશ્રય લઈ રહી છે. જ્યાં વૈદીક યજ્ઞો અને સાધુ-સંતોનો વિસામો ગીતાજ્ઞાન સંસ્થામાં થવા જઈ રહ્યો છે અને મોરબીના આંગણે આવા સંતોનું આગમન થવા જઈ રહ્યું છે.

જેમાં ભગવદ ગીતાના જ્ઞાની સ્વામી જ્ઞાનાનંદ મહારાજ આગામી તા. 23ને શનિવારે સવારે 9થી 10 કલાકે કૃતિકા આકાશ ઘડિયાળીના નિવાસ સ્થાન શુભ ટાવર, બીજો માળ, સરદારબાગની પાછળ, મોરબી ખાતે (સંપર્ક 97278 69090) પધારવાના છે.

તો મોરબીની સેવાભાવી સંસ્થાઓ, દાનવીરો તેમજ મોરબીની જાહેર જનતાને સંતોના દર્શન તેમજ આશીર્વાદનો લાભ લેવા અનુરોધ કરાયો કરાયો છે. વધુ વિગત માટે મોરબી નગરપાલિકા ચેરમેન મનસુખભાઈ પ્રજાપતિ (મનુકાકા)નો મો. 98791 75277 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text