મોરબીના લક્ષ્મીનગર નજીક યુવાને ઓફિસમાં ઝેરના પારખાં કર્યા

- text


ગઈકાલે મોડી સાંજે બનેલી ઘટનામાં નવી પીપળી ગામના યુવાનનું મોતનું કારણ અકળ

મોરબી : મોરબીના નવી પીપળી ગામે રહેતા અને લક્ષ્મીનગર ગામ નજીક ઓફીસ ધરાવતા યુવાને પોતાની ઓફિસમાં જ અકળ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ નીપજ્યું હતું.

આ બનવા અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના નવી પીપળી ગામે રહેતા સંદિપ રૂગનાથભાઇ જેઠલોજા ઉવ.38 નામના યુવાને ગઈકાલે રાત્રીના આઠ વાગ્યા પહેલા કોઈપણ કારણોસર લક્ષ્મીનગર ગામ પાસે આવેલી પોતાની ઓફીસમાં ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી છે અને પોલીસ હે

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

ડ કોન્સ્ટેબલ એમ.એલ.બારૈયા આપઘાત કરવા પાછળનું કારણ જાણવા તપાસ ચલાવી રહ્યા છે.

 

- text