માળીયા (મી.)માં જન આશીર્વાદ યાત્રા અંતર્ગત રાજ્ય મંત્રીનું અભિવાદન કરાયું

- text


માળીયા (મી.) : માળીયા (મી.)માં જન આશીર્વાદ યાત્રા અંતર્ગત રાજ્ય મંત્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના આદેશ મુજબ દરેક મંત્રી એ જિલ્લાવાર જન આશીર્વાદ યાત્રાનો કાર્યક્રમ યોજ્યો હતો. જેના અંતર્ગત ગત તારીખ 3 ના રોજ બપોરના 12-00 કલાકે હર્ષિતભાઈ કાવરની ફેકટરી એરકોન માઇક્રોન્સ મુકામે સભાનું આયોજન કરેલ હતું. જેમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજા ઉપસ્થિત રહેલા હતા.

જેમની સાથે મોરબી જિલ્લા બીજેપી પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, પ્રદેશ બીજેપી અગ્રણી મગનભાઈ વડાવીયા, પ્રદેશ અગ્રણી હર્ષિતભાઈ કાવર, મણિલાલભાઈ માળીયા તાલુકા બીજેપી, રમેશભાઈ રાઠોડ પ્રમુખ તાલુકા પંચાયત માળીયા, તેમજ માળિયા મીયાણા નગરપાલિકા પ્રમુખ હારુનભાઇ, કાઉન્સિલર ઓસમાણ જેડા, મીઠા ઉધોગ એસોસિયેશન, સામાજિક સંસ્થા, શહેર ભાજપ પ્રમુખ ઈલ્યાસભાઇ, હનિફભાઇ જેડા, માળિયા મીયાણા જમાતના પ્રમુખ અવેશભાઇ સહિતના એ હાજરી આપી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text