મોરબીમાં કોરોનારૂપી યમરાજ 11 લોકોને ભરખી ગયા

- text


મુખ્યમંત્રી રૂપાણી 11 વાગ્યે મોરબી આવશે : હેલિકોપ્ટર મારફતે પરશુરામ પોટરી ઉતરી સીધા જ કલેકટર કચેરી જશે

- text

મોરબી : મોરબીમાં કોરોનારૂપી યમરાજે પડાવ નાખ્યો છે ત્યારે આજે એક જ દિવસમાં 11 વ્યક્તિની કોરોના ગાઈડ લાઈન મુજબ અંતિમ વિધિ થઈ હોય 11 દર્દીઓનો ભોગ લેવાયો છે. બીજી તરફ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ ગંભીર સ્થિતિની જમીની હકીકત મેળવવા આવતીકાલે સવારે 11 કલાકે હેલિકોપ્ટર મારફતે આવી રહ્યા છે અને પરશુરામ પોટરી ખાતે હેલિપેડ ઉપર ઉતરી સીધા જ કલેકટર કચેરી ખાતે જનાર હોવાની માહિતી મળી રહી છે

- text