મોરબી : અનાજ કારીયાણા હોલસેલરો અડધો દિવસ બંધ રાખશે, છૂટક વેપારીઓએ હજુ કોઈ નિર્ણય નથી લીધો

- text


સોમવારથી મોરબી ખાદ્યતેલ વેપારી એસોસીએશન અને મોરબી ધ ગ્રેન એન્ડ સુગર મર્ચન્ટ એસોસિએશ અને જથ્થાબંધ અનાજ કરિયાણાના વેપારીઓએ બપોરે 2 વાગ્યા બાદ દુકાનો બંધ કરવાનો સ્વૈચ્છીક નિર્ણય જાહેર કર્યો છે : અનાજ કરિયાણા છૂટક વેપારીઓએ હજુ આંશિક વેપાર-ધંધા બંધ રાખવાનો કોઈ નિર્ણય લીધો નથી

મોરબી : શહેરમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે વિવિધ સંસ્થાઓ અને વેપારી એસોશિએશનોએ સ્વૈચ્છિક તેમજ આંશિક લોકડાઉનની જાહેરાતો કરી છે. જે અંતર્ગત મોરબીમાં તેલ,ગોળ અને કઠોળના હોલસેલ વેપારીઓ તારીખ 5 અને સોમવારથી અડધો દિવસ જ વેપાર કરશે. જો કે મોરબીના અનાજ કરિયાણાના છૂટક વેપારીઓ દ્વારા આવો કોઈ નિર્ણય લેવાયો નથી.

- text

કોરોનાના કેહરની વચ્ચે મોરબીમાં આવેલી આશરે 80 જેટલા અનાજ- કરિયાણાના હોલસેલ વેપારીઓએ આગામી તા.5ને સોમવારે સવારથી લઈને બપોરે બે વાગ્યા સુધી જ પોતાના વેપાર ધંધા ચાલુ રાખવાનો સ્વૈચ્છીક નિર્ણય લીધો છે. મોરબી ખાદ્યતેલ વેપારી એસોસીએશન અને મોરબી ધ ગ્રેન એન્ડ સુગર મર્ચન્ટ એસોસિએશને જાહેર કર્યું છે કે, સોમવારે સવારથી બપોરે બે વાગ્યા સુધી જ તેઓ પોતાની દુકાનો ખોલશે. આગમી નવો નિર્ણય ન લેવાય ત્યાં સુધી આ વ્યવસ્થા ચાલુ રહેશે. જોકે અનાજ કરિયાણાના છૂટક વેપારીઓએ હજુ આંશિક વેપાર-ધંધા બંધ રાખવાનો કોઈ નિર્ણય લીધો નથી. આમ મોરબીના જુદા-જુદા ત્રણ હોલસેલ વેપારી સંગઠન દ્વારા અડધો દિવસ વેપાર ધંધા બંધ રાખવાના નિર્ણય થી મોરબીમાં લોકડાઉનની વ્યાપક અફવા પણ ફેલાઈ છે.

- text