ભડીયાદમાં 34 જેટલા આર્થિક પછાત અરજદારોને લેન્ડ કમિટીએ પ્લોટ ન ફાળવ્યા હોવાનો આક્ષેપ

- text


પ્રતીક ઉપવાસની પણ ચીમકી ઉચ્ચારી, સામાજિક કાર્યકરે ડીડીઓને પ્લોટ ફાળવણી અને સનદ આપવા કરી રજુઆત

મોરબી : મોરબી તાલુકા પંચાયતમાં લેન્ડ કમીટીએ તા. 23-10-2010ના રોજ ભડિયાદ ગામના 34 અરજદારોના મંજુર કરેલા પ્લોટ હજુ સુધી ફાળવ્યા ન હોવાનો તેમજ ત્રાજપર ગ્રામ પંચાયત દ્વારા 9-3-1983 ના રોજ મંજુર કરેલ પ્લોટની પણ ફાળવણી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અરજીમાં.જણાવ્યું હતું કે આ બાબતે ટીડીઓને તેમજ ડીડીઓને પણ રજુઆત કરી હોવા છતાં આજદિન સુધી કોઈ પ્રત્યુતર પણ ન આપ્યો નથી. આ બાબતે મોરબીના સામાજિક કાર્યકર અનિલભાઈ સી. આંબલિયાએ ડીડીઓને લખિત રજુઆતમાં આગામી તા. 11મીથી પ્રતીક ઉપવાસ પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

 

- text