વાંકાનેરમાં ગાયત્રી મંદિર તથા RSS સહયોગથી વિવિધ સ્થળોએ ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કરાશે

- text


વાંકાનેર : વાંકાનેરમાં ગાયત્રી મંદિર તથા RSS સહયોગથી સેવાભાવીઓ દ્વારા વિવિધ સ્થળોએ ઉકાળા વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 21 થી 30 ઓગસ્ટ સુધી સવારે 8 થી 10 વાગ્યા સુધી ગાયત્રી મંદિર, માર્કેટ ચોક પાસે અમ્રૃતા હોટલ, ભાટીયા સોસાયટીમાં સુંદરભાઈ નાવાણી દ્વારા તથા નવાપરામાં વાસુકી મંદિર પાસે ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.

- text

લોકોના સારા સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ વાધારવામાં મદદરુપ થાય તે હેતુથી આયુર્વેદીક ઉકાળાનુ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. તો આ સેવાનો અચુક લાભ લેવા વાંકાનેરવાસીઓને અપીલ કરવામાં આવલ છે. ઉકાળો લેવા આવતા લોકોએ તેમનું પાત્ર કે બોટલ સાથે લાવવાની રહેશે. વડીલો કે જે બહાર નીકળી શકતા ન હોય તેવા વડીલોને શક્ય હશે તો ઘરે ઉકાળો પહોંચાડવાની વ્યવસ્થા માટે પ્રયાસ કરવામાં આવશે. કોઈપણ વ્યક્તિ આ સેવા કાર્યમાં શારીરિક કે આર્થિક સહકાર આપવા ઈચ્છતા હોય તો તેઓએ તેમજ વધુ માહિતી માટે ૯૮૭૯૦ ૬૪૮૧૪, ૯૮૭૯૦ ૧૯૪૮૮ પર સંપર્ક કરવાનો રહેશે.

- text