મોરબી રઘુવંશી યુવક મંડળ દ્વારા જલારામ પ્રાર્થના મંદિરને વૈકુંઠ રથ અર્પણ કરાયો

- text


શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમા મળેલ સહયોગનો સદ્ઉપયોગ કરતી મોરબીની સંસ્થા

મોરબી : વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન કરતા શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલીત શ્રી જલારામ પ્રાર્થના મંદિરને મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા વૈકુંઠ રથ (મોક્ષ રથ) અર્પણ કરવામા આવ્યો હતો. મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા ગત ડીસેમ્બર-જાન્યુઆરી માસમા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ અનેરુ આયોજન કરવામા આવ્યુ હતુ. જે અંતર્ગત ગૌમાતાના લાભાર્થે વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ હતુ. તે ઉપરાંત, વિવિધ ધાર્મિક ઉત્સવોની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામા આવી હતી. સપ્તાહ દરમિયાન મળેલ સહયોગ નો સદ્ઉપયોગ કરવાનુ શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબીએ નિર્ધારિત કર્યુ હતુ. શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી દ્વારા દીવંગતોની અંતિમયાત્રા માટે વૈકુંઠ રથ (મોક્ષ રથ) બનાવી શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલીત શ્રી જલારામ પ્રાર્થના મંદિરને અર્પણ કરી સમાજને ઉમદા દ્રષ્ટાંત પુરુ પાડ્યુ છે.

શ્રી રઘુવંશી યુવક મંડળના આ ભગીરથ સેવા કાર્ય બદલ સંસ્થાના પ્રમુખ ડેનિશભાઈ કાનાબાર, ઉપપ્રમુખ પ્રશાંતભાઈ સેતા, સેક્રટરી રવિભાઈ કોટેચા, ખજાનચી વિરેનભાઈ પુજારા, જો. સેક્રટરી પરાગભાઈ હાલાણી, પપ્પુભાઈ ચંડીભમર, કમલેશભાઈ ખંધેડીયા, યોગેશભાઈ માણેક, મનોજભાઈ કોટક, હરેશભાઈ કાનાબાર, ધર્મેશભાઈ ગંદા, જયેશભાઈ ચંદારાણા, દીનેશભાઈ જોબનપુત્રા, સુનિલભાઈ ચંદારાણા, સંદીપભાઈ ખગ્રામ, પરિમલભાઈ ઠક્કર, રોનકભાઈ કારીયા, દક્ષેશભાઈ માણેક, જયદીપભાઈ બારા સહીતના અગ્રણીઓ પર ચોમેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. વૈકુંઠ રથના લોકાર્પણ સમયે શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, જીતુભાઈ પુજારા, ચિરાગ રાચ્છ, વિપુલ પંડીત, હીતેશ જાની, અનિલભાઈ સોમૈયા સહીતનાઓ એ આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે યાદીમાં જણાવેલ છે.

- text

- text