- text
મોરબી : મોરબી તાલુકાના વાઘપર ગામમાં એક યુવકે ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવની નોંધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.
- text
મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના કાનાકાકળ ગામના વતની અને હાલ વાઘપર (પી.) ગામમાં નીલેશભાઇ ગાંડુભાઇ સનાવડાની વાડીએ રહેતા 21 વર્ષીય મજુર અમીર સુમેરસિંહ વાસ્કલાએ ગઈકાલે તા. 26ના રોજ અજાણ્યા કારણોસર વાડીએ લીમડા સાથે લટકીને ગળેફાંસો ખાઇ લીધો હતો. આથી, તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
- text