શનાળા-તલાવિયા ગામના વનવિભાગ દ્વારા ગ્રામજનોના સહયોગથી વૃક્ષારોપણ કરાયું

- text


મોરબી : હાલમાં ચોમાસા દરમિયાન કુદરતી પાણી મળી રહેવાથી પર્યાવરણ જતન માટે અનેક લોકો દ્વારા રોપાઓ વાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે શનાળા-તલાવિયા ગામના વનવિભાગ દ્વારા ગ્રામજનોના સહયોગથી 350થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ તકે ફોરેસ્ટર (RFO) જયંતિભાઈ કુંડારીયા ઉપસ્થિત રહ્યા હતા.

- text