- text
મોરબી : હાલ જ્યારે સમગ્ર દેશ કોરોના સામે એક થઈને લડી રહ્યો છે લોકો દ્વારા અનેક સેવા કાર્યો થઇ રહ્યાં છે ત્યારે આ લોકડાઉનની સ્થિતિમાં અબોલ જીવોની હાલત કફોડી થઈ છે. આ સમયે મોરબીના રોયલ રઘુવંશી ગૃપ દ્વારા અબોલ જીવો માટે સેવાયજ્ઞ શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત આજરોજ ગૃપ દ્વારા મોરબીની શેરી ગલીઓમાં રહેલ નિરાધાર ગાયોને 250 મણ જેટલો લીલો ઘાંસચારો આપવામાં આવેલ છે. તદુપરાંત પક્ષીઓ માટે ચણ પણ નાખવામાં આવે છે. આજથી શરૂ થયેલ આ સેવાયજ્ઞ લોકડાઉનના સમયમાં હજુ પણ અવિરતપણે ચાલું રહેશે એવું રોયલ રઘુવંશી ગૃપના સભ્યો દ્વારા જણાવવામાં આવેલ છે. વધુ માહિતી માટે (1) 9925144933 (2) 9033192488 (3) 9974821223 (4) 9978567814 પર કરી શકાશે.
- text