મોરબી : જયદીપ ફ્લોર મિલ દ્વારા ટિફિન સેવા આપતા લોકોને અનાજ નિ:શુલ્ક દળી અપાશે

- text


મોરબી : મોરબીના સિટી પોલીસ લાઇન પાછળ, લખધીરવાસ દરવાજા અંદર આવેલ જયદીપ ફ્લોર મિલ દ્વારા ટિફિન સેવા આપતા લોકોને અને સંસ્થાઓને ભોજન બનાવવામાં વપરતા કોઈપણ અનાજને નિ:શુલ્ક દળી આપવામાં આવશે. તેમજ તૈયાર લોટના વેચાણમા જે નફો થશે તે પશુ-પક્ષીઓના ખોરાક માટે વાપરવામા આવશે. વધુ વિગત માટે પારસ હંસોરા મો. 99258 70008નો સંપર્ક કરવાનો રહેશે.

- text