મોરબી જિલ્લાના તલાટી મંત્રીઓ એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપશે

- text


મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળે જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરી

મોરબી : મોરબી જિલ્લાના તલાટી મંત્રીઓએ કોરોનક સામેની લડત માટે એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાની જાહેરાત કરી છે અને આ માટે મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળે જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરી છે.

- text

મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળે જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરી હતી કે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશ અને મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ ભરતભાઇ બોરસાણીયાની જાહેરાતને પગલે કોરોના વાયરસના દર્દીઓને મદદરૂપ થવા મોરબી જિલ્લાના તમામ તલાટી મંત્રીઓ માર્ચ મહિનાના પગારમાંથી એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવાની સહમતી દર્શાવી હતી અને આ એક દિવસનો પગાર કાપીને મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરવા માટે જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓને જાણ કરવામાં આવી છે.

- text