આકાશવાણી પર કાલે ખીરસરના ખેડૂત જાસુબેન જાપડાનો ઇન્ટરવ્યૂ પ્રસારિત થશે

- text


મોરબી : આકાશવાણી પર આવતીકાલે તા. 2 જાન્યુઆરી, 2020ને ગુરુવારે સાંજે 7.20 કલાકે ખીરસરના અશિક્ષિત ખેડૂત જાસુબેન વિસાભાઈ જાપડાનો ઇન્ટરવ્યૂ ગામનો ચોરો કાર્યક્રમમાં પ્રસારિત થશે. આ ઇન્ટરવ્યૂ કાનન છાયા અને પરેશ વડગામા દ્વારા લેવામાં આવશે.

- text

ઉલ્લેખનીય છે કે જાસુબેન દરિયાકાંઠા વિસ્તારના અશિક્ષિત અને નાની ઉંમરે વિધવા બનેલા બહેનોના વારસાઈ હક માટે વટભેર માથું ઉંચકે છે. તેમજ ખેતીની જમીન અને અન્ય મિલકત નામે ચડાવવામાં વકીલ જેવું કામ કરી બતાવે છે. આ ઉપરાંત, જાસુબેન સજીવ ખેતી કરવા અને સ્વાસ્થ્ય જાળવી રાખવા માટેની માહિતી લોકો સુધી ફળિયા મીટીંગ કરીને દુહા ગાતા ગાતા પહોંચાડે છે.

- text