રફાળેશ્વરમાં ચારણ સમાજ દ્વારા શનિવારે સોનલ માં નો જન્મોત્સવ ઉજવાશે

- text


મોરબી : રફાળેશ્વરમાં ચારણ (ગઢવી) સમાજ દ્વારા આગામી 28 ડિસેમ્બરના રોજ સોનલમાનો 96મો જન્મોત્સવ હર્ષોલ્લાસથી ઉજવાશે. આ પ્રસંગે સવારે 9 કલાકે શોભાયાત્રા ચામુંડા માતાજીના ઓરડેથી નીકાળવામાં આવશે. જે શોભાયાત્રા સોનલ સોસાયટીથી થઈને સોનલ વાડી સુધી રાખવામાં આવેલ છે. તેમજ બપોરે 12 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આ તકે સમાજના ધો. 8થી 10 તથા 12માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. આ મહોત્સવનો ભાગ લેવા માટે આયોજકો દ્વારા ચારણ સમાજના લોકોને આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

- text