અરજદારોની સાનુકૂળતા માટે મોરબી કલેક્ટરને મળવાનો સમય નિયત કરાયો

- text


મોરબી : મોરબી કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટને તેમની કચેરી ખાતે જાહેર જનતા અને અરજદારોને સાનુકૂળતા રહે તે માટે દર અઠવાડીયાના સોમવારે સવારના 11-00 વાગ્યાથી સાંજના 5-00 વાગ્યા સુધી અને ગુરુવારે સવારે 11-00થી બપોરના 1-00 વાગ્યા સુધી મળવાનો સમય નિયત કરાયો છે. કચેરી કાર્ય પદ્ધતિના પ્રકરણ-11ના મુદ્દા નં. 77 માં ઉલ્લેખ કર્યા મુજબ જિલ્લા કલેક્ટર હવે ઉપરોક્ત નિયત સમયે મુલાકાતીઓ – અરજદારોને કચેરી ખાતે મળી શકશે. જેની તમામ જિલ્લાના લોકોએ નોંધ લેવા મોરબી કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text