ટંકારાના લખધીરગઢમા સંતાનોએ માતાના બેસણામાં રોપાનું વિતરણ કર્યું

- text


ટંકારા :સ્વજનના નિધન બાદ બેસણામા શોક વ્યક્ત કરવામાં આવતો હોય છે. પરંતુ ટંકારામા લખધીરગઢ ગામે સંતાનોએ પોતાના માતૃશ્રીના બેસણામા માત્ર શોક વ્યક્ત કરવાને બદલે સાથે કોઈ સેવાકાર્ય થાય તેવા હેતુથી બેસણામા આવનાર તમામને રોપા આપ્યા હતા.

- text

ટંકારા તાલુકાના લખધીરગઢ ગામના હાલ મોરબી રહેતા કકાસણીયા વિરજીભાઈ ભવાનભાઈ, કકાસણીયા લવજીભાઈ ભવાનભાઈ, કકાસણીયા રમેશભાઈ ભવાનભાઈ, કકાસણીયા નરભેરામભાઈ ભવાનભાઈના માતૃશ્રી સ્વ. શાંતાબેન ભવાનભાઈ કકાસણીયાનું તા. ૧૩ના રોજ નિધન થતા અાજે બેસણુ હોવાથી તેમના સંતાનોઅે પર્યાવરણના જતન માટે બેસણામા આવનાર તમામને વૃક્ષના રોપાનુ વિતરણ કરી સમાજને પર્યાવરણ બચાવવા સંદેશો આપ્યો હતો.

- text