મોરબીના યુવાનો દ્વારા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન

- text


મોરબી : મોરબીના યુવાનો દ્વારા કચ્છ માતાના મઢે જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન આગામી તા. 19 સપ્ટે.થી 29 સપ્ટે.ના સુધી હરીપર કેરાળાના બસ સ્ટેશન, ભરતનગર, ITI પાસે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યાત્રિકો માટે બપોરે અને રાત્રે જમવાની વ્યવસ્થા, 150 જેટલા યાત્રિકો માટે સુવાની વ્યવસ્થા તેમજ 24 કલાક મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાશે. ઉલ્લેખનીય છે કે પદયાત્રીકોની સુવિધા માટે મોરબીના યુવાનો દ્વારા છેલ્લા 12 વર્ષથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

- text