મોરબીની આરટીઓ કચેરી પાસેની દીવાલ પડતા 20થી વધુ ગાયોના મોત

- text


દીવાલે વરસાદથી બચાવ્યા બાદ ગણતરીના સમયમાં જીવ પણ લઈ લીધો

મોરબી : મોરબીની આરટીઓ કચેરી પાસેની દીવાલ ધરાશાયી થતા 20 થી વધુ ગાયોના મોત નિપજયા હોવાનો બનાવ સામે આવ્યો છે. હિજરત કરેલા માલધારી કચ્છ પરત ફરતા હતા. તે વેળાએ તેમની ગાયોએ વરસાદથી બચવા આ દિવલનો સહારો લીધો હતો. પરંતુ વરસાદથી બચાવનાર આ જ દીવાલે થોડી વારમાં ગાયોનો જીવ પણ લઈ લીધો હતો.

મળતી વિગત અનુસાર માલધારી પરિવાર હિજરત બાદ પોતાના વતન કચ્છ તરફ ગાયો સાથે પરત ભણી રહ્યો હતો. તે વેળાએ મોરબીની આરટીઓ કચેરી પાસે વરસાદથી બચવા ગાયોએ દિવાલનો સહારો લીધો હતો. આ વેળાએ ત્યાંની આસપાસની ગાયોએ પણ આ દિવાલનો ઓથ લીધો હતો. પરંતુ આ પથ્થરની દીવાલ નબળી હોય ઓથ આપ્યા બાદ ગણતરીના સમયમાં કાળમુખી પણ બની ગઈ હતી. આ દીવાલ ધરાશાયી થતા 50 જેટલી ગાયો દબાઈ ગઈ હતી. જેમાંથી 20 થી વધુ ગાયોના કરુણ મોત નિપજયા હતા. બાકીની ગાયો ઇજાગ્રસ્ત થઈ હતી.

- text

- text