- text
વાંકાનેર : વાંકાનેરના સુપ્રસિદ્ધ ફળેશ્વર મહાદેવના મંદિર ખાતે ભાવિક ભક્તોની સુખાકારી, સમૃદ્ધિ અને શાંતિ માટે તેમજ હાલમાં થોડી કુદરત રૂઠેલ હોય વરસાદની ખેંચ વર્તાઇ રહી છે માટે ખેડૂતો માટે ૨૧ દિવસની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મંદિરના ભક્તોના સાથ-સહકારથી આજે અખંડ રામધૂનનો ચોથો દિવસ છે.
- text
ફળેશ્વર મહાદેવ મંદિરના બાપુ શ્રી રામકિશોરદાસબાપુ નો મંત્ર હતો ભજન કરો અને ભોજન કરાવો જે મંત્રને હાલના મહંત પટેલબાપુ ફળીભૂત કરાવી રહ્યા છે મંદિરમાં સંતસેવા, ગૌસેવા, પક્ષીસેવા તેમજ માનવસેવા ચાલી રહેલ છે તેમજ મંદિરમાં બધા જ તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે તેમજ શ્રાવણ માસમાં આખો મહિનો ભગવાન ભોળાનાથની રુદ્રી કરી ઉજવવામાં આવે છે તેમજ ભૂદેવો માટેના ભંડારાનું આયોજન કરવામાં આવે છે.
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne
- text