- text
મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના તાજેતરમાં જાહેર થયેલા બી.કોમ.સેમ.4ના પરિણામોમાં મોરબી લોહાણા સમાજની દીકરી ચંદારાણા દ્રષ્ટિ સુનિલભાઈએ 700 માંથી 607 ગુણ મેળવીને સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.
- text
મનુભાઈ પાપડવાળાની પૌત્રી દ્રષ્ટિએ યુનિવર્સીટીમાં પ્રથમ ક્રમાંક મેળવી ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિ મેળવી ચંદારાણા પરિવાર તેમજ મોરબી લોહાણા જ્ઞાતિનું ગૌરવ વધારતા એમના પર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.
- text