મોરબીના વનાળીયામાં રસોઈ બનાવતી વેળાએ દાઝી જતા મહિલાનું મોત

- text


મોરબી : મોરબીના વનાળિયા ગામે રસોઈ બનાવતી વેળાએ દાઝી જતા એક મહિલાનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના વનાળીયા ગામે રહેતા જવીબેન પરસોતમભાઈ નકુમ પોતાના ઘરે રસોઈ બનાવતા હતા. આ વેળાએ દાઝી જતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેઓનું મોત નીપજ્યું હતું. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text