મોરબીમાં વ્હોરા સમાજ દ્વારા રક્તદાનરૂપી શહીદોને શ્રદ્ધાંજલી અપાઈ

- text


વ્હોરા સમાજના 120 થી વધુ લોકોએ રક્તદાન કર્યું

મોરબી : જમ્મુ કાશ્મીરમાં આંતકી હુમલામાં વીરગતિ પામેલા ભરતમાતાના વીર સપૂતોને રક્તદાન રૂપી શ્રદ્ધાંજલી આપવા માટે આજે મોરબીના વ્હોરા સમાજ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો.જેમાં વ્હોરા સમાજના 120 થી વધુ લોકોએ રક્તદાન કરીને શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી.

જમ્મુ કાશ્મીરમાં આંતકી હુમલામાં શહીદ થયેલા સી.આર. પી.એફ.ના જવાનોને દેશભરમાંથી ભારે હૈયે શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે.ત્યારે જરૂરિયાતમદ દર્દીઓને લોહીની ઉણપ પુરી પાડી શહીદોને સાચી શ્રદ્ધાંજલી આપવા માટે મોરબીના દાઉદી વ્હોરા સમાજ દ્રારા આજે દાઉદી વ્હોરા સમાજના જમાતખાના ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્હોરા સમાજના આમીલ કૈઝારભાઈ સાહેબએ શહીદોને રક્તદાન રૂપી શ્રદ્ધાંજલી આપવા સમાજના લોકોને પ્રોત્સાહિત કર્યા હતા.આથી સમાજના 120થી વધુ લોકોએ રક્તદાન કરીને શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી.આ રક્તદાન કેમ્પનો સફળ બનાવવા સમાજના અગ્રણીઓ ઝુઝરભાઈ અમીન તથા હુસેનભાઈ લાકડાવાલા સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

 

- text