મોરબી : અર્જુનભાઇ બટેટાવાળાએ સોમવારની આવક શહીદોના પરિવારને અર્પણ કરી

- text


 

ચટાકેદાર સ્વાદ માટે જાણીતા અર્જુનભાઇ બટેટાવાળાનુ પ્રેરણાદાયી પગલુ : નાસ્તાની હોમ ડિલિવરી પણ ઉપલબ્ધ

મોરબી : મોરબીથી શહીદોના પરિવારો માટે સહાયનો ધોધ વહી રહ્યો છે. ત્યારે ચટાકેદાર સ્વાદ માટે જાણીતા એવા અર્જુનભાઇ બટેટાવાળા દ્વારા પણ શહીદોના પરિવારોની મદદ કરવાનો પ્રેરણાદાયી નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ દ્વારા સોમવારની સંપૂર્ણ આવક શહીદોના પરિવારોને અર્પણ કરવામાં આવનાર હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

મોરબીની સ્વાદપ્રિય જનતાને ચટાકેદાર નાસ્તો પીરસવા માટે જાણીતા અર્જુનભાઈ બટેટા વાળા તરફથી પ્રેરણાદાયી નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં કાશ્મીરના પુલવામાં આતંકીએ કરેલા આત્મઘાતી હુમલામાં શહીદ થયેલા સૈન્યના ૪૪ જવાનોના પરિવારોના લાભાર્થે તેઓ પોતાની એક દિવસની આવક અર્પણ કરવાના છે. અર્જુનભાઈ બટેટાવાળા તરફથી આજે એટલે કે સોમવારના રોજ નાસ્તામા જે કાઈ પણ વ્યાપાર થશે એ બઘું જ શહીદોના પરિવારોને અર્પણ કરી દેવાના આવશે.

- text

મોરબીની ટેસ્ટ ફુલ જનતા ઘેર બેઠા પણ ઓર્ડર કરીને ટેસ્ટ ફુલ નાસ્તો મંગાવી શકે છે. ગ્રીન ચોકના પ્રખ્યાત અને ટેસ્ટ ફુલ બ્રેડ બટેટા ,ભૂંગરા બટેટા,ભેળ, ઠંડી છાશ, શીંગ, ચીઝ મેગી, બટર મેગી હવે ધરે બેઠા મળી શકશે. રાત્રે ૮ થી ૨ વાગ્યા સુધી મીનીમમ રુપિયા ૨૦૦ તથા તેની ઉપરના ઓર્ડર પર ફ્રી હોમ ડીલીવરી મેળવી શકાશે. ગ્રીન ચોક થી ૫ કિલોમીટરના અંતરે ડિલિવરી આપવામાં આવશે. ઓર્ડર માટે અર્જુનભાઈમો.નં. 7600721021 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text