- text
મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર પતિ સાથે સિરામીક યુનીટની લેબર કવાટૅરમાં રહીને મજુરીકામ કરતા મુળ ઝારખંડની રહેવાસી પુજાબેન વિષ્ણુભાઈ પાત્રો જાતે અાદીવાસી (ઉ. રર) નામની નવોઢા તા. ર૪ ને શનિવારના રોજ રસોઈ બનાવતા સમયે પ્રાઈમસ ફાટતા ગંભીરરીતે દાઝી જતા મોરબી સિવિલે પ્રાથમિક સારવાર અાપી વધુ સારવાર માટે રાજકોટ સિવિલે લઈ જવામાં અાવી હતી. જયાં તા.રપને રવિવારે રાત્રીના પુજાબેનનું સારવાર દરમ્યાન મોત નિપજેલ હતું ઉલ્લેખનીય છે કે મૃતક પુજાબેનના લગ્ન 11 માસ પૂર્વે વિષ્ણુભાઈ સાથે થયા હતા.
- text
- text