હર્બલ માવાની મદદથી વ્યસન છોડી શકાય છે : મોરબીમાં સેમિનાર યોજાયો

- text


હર્બલ માવાના પ્રણેતા કાંતિભાઈ જાંજરૂકીયાએ વ્યસનમુક્તિ અંગે યુવાનોને વિશેષ માર્ગદર્શન આપ્યું

મોરબી : મોરબીમાં વ્યસનમુક્ત કરાવતા હર્બલ માવા અંગેનો સેમિનાર સફળતાથી સંપન્ન થયો છે. આ સેમિનારમાં હર્બલ માવાની મદદથી વ્યસન છોડી શકાય તે અંગે મહત્વની જાણકારી આપવામાં આવી હતી.

જૂનાગઢના કાંતિભાઈ જાંજરૂકીયા દ્વારા સંશોધિત હર્બલ ( આયુર્વેદિક ) માવાની મદદથી નિકોટીન યુક્ત માવાથી મુક્ત કરવા માટે એક સફળ સેમિનાર પી જી પટેલ કોલેજ ઓડિટોરીયમ ખાતે યોજવામાં આવ્યો હતો. આ હર્બલ માવાના પ્રણેતા કાંતિભાઈ જાંજરૂકીયા દ્વારા મોટી સંખ્યામાં હાજર યુવાનોને પ્રત્યક્ષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારને સફળ બનાવવા માટે પીજી પટેલ કોલેજ સ્ટાફ, પંકજ પટેલ ,મયુર નેચર કલબના ઘનશ્યામ ડાંગર , જીતુભાઈ ઠક્કર વગેરેએ જહેમત ઉઠાવી હતી.

- text

- text