મોરબી :મહેન્દ્રનગર ચોકડી પાસે જન્માષ્ટમીની રાત્રે ૧૦ જેટલી દુકાનોના તાળા તૂટ્યા

- text


બનાવને એક દિવસ પૂર્વે મહેન્દ્રનગર ગામમાં પણ ૩ મકાનોના તાળા તૂટ્યા ‘તા

મોરબી : મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે જન્માષ્ટમીની રાતે ૧૦ જેટલી દુકાનોના તાળા તૂટ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ આ મામલે ફરિયાદ નોંધાઇ ન હોવાથી ચોરીનો આંકડો બહાર આવ્યો નથી.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી નજીક મહેન્દ્રનગર ચોકડી પાસે જન્માષ્ટમીની રાતે તસ્કરો ત્રાટકી સીતારામ કોમ્પ્લેક્ષને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ આ કોમ્પ્લેક્ષની ૧૦ થી ૧૨ દુકાનોના તાળા તોડીને હાથ ફેરો કર્યો હતો. આ દુકાનો પૈકી ત્રણ જેટલી કરીયાણાની દુકાનો હતી. જેમાંથી તસ્કરોએ માલ સામાનની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે.

- text

હજુ સુધી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ ન હોવાથી ચોરીનો આંકડો બહાર આવ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આગલે દિવસે મહેન્દ્રનગર ગામમાં ૩ જેટલા મકાનોના તાળા તૂટ્યા હતા. ત્યારે પણ ફરિયાદ નોંધાઇ ન હતી. હાલ આ વિસ્તારમાં તસ્કરોનો પગપેસારો જોવા મળી રહ્યો છે. પરંતુ ચોરીના બનાવો બાદ ફરિયાદ ન નોંધાતી હોવાથી આ બનાવો બહાર આવતા નથી.

 

- text