- text
સંજય રાજગુરુ કોલેજની બસને નડ્યો અકસ્માત
વાંકાનેર : રાજકોટ મોરબી હાઇવે પર આવેલી સંજય રાજગુરુ કોલેજની બસને વાંકાનેર ફાટક નજીક અકસ્માત નડતા ડ્રાઇવરને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ વિદ્યાર્થીઓને ઇજા પહોચી નથી.
- text
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ મોરબી હાઇવે પર આવેલી સંજય રાજગુરુ કોલેજની બસને આજે વાંકાનેર ફાટક નજીક અકસ્માત નડતા બસ પલટી ગઈ હતી અને આ અકસ્માતને કારણે બસ ડ્રાઇવરને ઇજા પહોંચી હતી જો કે આ અકસ્માતમાં કોઈ પણ વિદ્યાર્થીઓને ઇજા પહોંચી ન હોવાનું જાણવા મળ્યું છે.
- text