મોરબીના મોટાભાગના વિસ્તારોમાં આજે બુધવારે વિજકાપ

- text


મોરબી: મોરબી વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા સબ સ્ટેશન અને લાઈનનું સમારકામ કરવાનું હોય જેથી આજે મોરબી શહેરના મોટાભાગના વિસ્તારો અને ગ્રામ્ય પંથકમાં આજે તા.૨૫ને બુધવારે સવારે ૮ વાગ્યાથી બપોરે ૪ વાગ્યા સુધી વીજકાપ રહેશે.

પીજીવીસીએલ ટીમ દ્વારા ૬૬ કેવી મોરબી એ અને મોરબી બી સબ ડિવિઝન હેઠળના કાલિકા નગર, જોધપર, ઉંચી માંડલ, વીરપર, જેતપર, ભરતનગર, વેજલપર, લજાઈ, ચાંચાપર, ખરેડા, રફાળેશ્વર, ઘૂટું સહિતના વિસ્તારોમાં ૬૬ કેવી સબ સ્ટેશનમાં સમારકામ કરવાનું હોય જેથી આજે તા.૨૫ને બુધવારે વીજ કાપ મુકવામાં આવશે.

- text

મોરબી શહેરના શનાળા રોડ અને રવાપર રોડ વિસ્તારના મોટાભાગના વિસ્તારોમાં વીજકાપ મુકવામાં આવશે. મોરબી શહેર ઉપરાંત મોરબી તાલુકાના અનેક ગામોમાં પણ સવારે ૮ થી બપોરે ૪ સુધી વીજકાપ રહેશે મોરબી શહેર અને તાલુકા ઉપરાંત ટંકારાના અમુક વિસ્તારોમાં વીજકાપ રહેશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે.

- text