મોરબીમાં ૫૨૫૭ વિદ્યાર્થીઓએ આપી ગુજકેટની પરીક્ષા : ૪૫ ગેરહાજર

- text


મોરબી : મોરબીમાં આજે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના ૫૨૫૭ વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી. મોરબી શહેરમાં શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરેલા ૧૦ કેન્દ્રો પર શાંતિપૂર્ણ વાતાવરણમાં આ પરીક્ષા લેવાઈ હતી. પરીક્ષામાં કુલ ૪૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

આજ રોજ મોરબી શહેરના ૧૦ કેન્દ્રોમાં ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી. ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના ૫૨૫૭ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જેમા ૨૬૨૩ વિદ્યાર્થીઓએ રસાયણ અને ભૌતિક વિજ્ઞાનનું પેપર, ૧૫૫૭એ જીવ વિજ્ઞાનનું પેપર અને ૧૦૬૭ એ ગણિતનું પેપર આપ્યું હતું.

- text

પરીક્ષામાં કુલ ૪૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.જેમાં રસાયણ અને ભૌતિક વિજ્ઞાનના પેપરમાં ૨૧ , જીવ વિજ્ઞાનના પેપરમાં ૧૪ અને ગણિતના પેપરમાં ૧૦ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

- text