મોરબીમાં જિલ્લા કક્ષાનું પ્રજાસત્તાક પર્વ અમરસિંહજી હાઇસ્કુલવાંકાનેર ખાતે યોજાશે

- text


કલેકટર આઇ.કે. પટેલના અધ્યક્ષ સ્થાને વાંકાનેર ખાતે પ્રજાસત્તાક પર્વના આયોજન સંદર્ભે બેઠક યોજાઇ.
મોરબી : આગામી ૨૬મી જાન્યુઆરી-૨૦૧૮ના પ્રજાસત્તાક પર્વની મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી વાંકાનેર ખાતેની અમરસિંહજી હાઇસ્કૂલના પટાંગણમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરાશે. તેમ જિલ્લા કલેકટર આઇ.કે.પટેલે ૨૬મી જાન્યુઆરી ઉજવણી સંદર્ભેના આયોજન અંગેની અમરસિંહજી હાઇસ્કુલના પ્રાથના ખંડમાં યોજાયેલ બેઠકમાં જણાવ્યું હતું.
જિલ્લા કલેકટરશ્રી પટેલે ઉપસ્થિત અધિકારીશ્રીઓ/પદાઅધિકારીશ્રીઓ પાસેથી પ્રજાસતાક પર્વની થયેલ આયોજન અંગેની વિગતો મેળવી હતી અને વિવિધ ખાતાઓ તરફથી ૨૬મી જાન્યુઆરીના રોજ ટેબ્લો બતાવવામાં આવશે. તેમજ રંગારંગ કાર્યક્રમો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.
આ ઉજવણી કાર્યક્રમમાં વધુને વધુ લોકો જોડાય તેમજ ઉજવણી સ્થાને પૂરતી પાણી વ્યવસ્થા, સૂચારૂ આયોજન થાય તે અંગેતી તમામ બાબતોનું ધ્યાન રાખવા કલેકટરશ્રીએ આ બેઠકમાં સૂચનાઓ આપી હતી.

- text

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકાર એસ.એમ.ખટારા,નિવાસી અધિક કલેકટર કેતન પી જોષી , વાંકાનેર પ્રાંત અધિકારી જે.ડી.ગઢવી, નાયબ નિયામક નિખિલ બર્વે,સહિતના જિલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

- text