- text
મોરબી : આમરણ પાસે આવેલા ઝુંઝુડા ગામના સુપ્રસિધ્ધ કોઠાવારા પીરના હુલામણા નામથી સૈયદ બહાઉદિન બાપુની દરગાહ આવેલી છે આ બહાઉદિન બાપુના વંશજ એવા અને સૌરાષ્ટ્રભરમાં પોતાની સાદગી અને કાર્ય પધ્ધતિ થી મુસ્લિમ સમાજ તેમજ હિન્દુ સમાજમાં પણ સારી લોક ચાહના ધરાવતા અને લોકોમાં સુફિસંત તરીકે પ્રસિદ્ધ થયેલા એવા સૈયદ બાપુમિયાં બાપુ (હાજી મિયા બાપુ) નુ ગઇકાલે 105 વર્ષની ઉમરે ઇન્તેકાલથી થતા સૌરાષ્ટ્રભરના તેમના અનુયાયીઓ અને સમગ્ર સુન્ની મુસ્લિમ સમાજમાં ગમગીની છવાઈ ગઈ હતી
- text
તેમની દફન વિધીમાં જામનગર, રાજકોટ, મોરબી, કચ્છ, ભાવનગર, અમરેલી માથી હજારો લોકો જોડાયા હતા
બાપુમિયાંની વિદાય થી સુન્ની મુસ્લિમ સમાજ ને એક સુફી સંત પીર ધર્મગુરુ ની ખોટ પડેલ હતી.
- text