મોરબી સીરામીક ફેકટરીમાં કોલગેસનો વાલ્વ ફાટતા દાઝેલા શ્રમિકનું મોત

- text


મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એક્ટિવા સીરામીક નામની ફેકટરીમાં કામ કરતા શ્રમિક પર કોલગેસ પ્લાન્ટનો વાલ્વ ફાટતા ગંભીર રીતે દાઝી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

- text

જાણવા મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી જુના બસસ્ટેન્ડ પાસે સાવસર પ્લોટમાં રહેતા અને લખધીરપુર રોડ પર આવેલ એક્ટિવા સીરામીક ફેકટરીમાં કામ કરતા મનહરલાલ મગીલાલ ખારોલ ઉ.35 નામનો યુવાન ફેકટરીમાં કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક જ કોલગેસ પ્લાન્ટમાં ડામર ચેમ્બરનો વાલ્વ ફાટતા ધગધગતું પ્રવાહી મનહારલાલની ઉપર પડતા ગંભીર રીતે દાઝેલા મનહરલાલને મોરબીની આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દરમિયાન મોરબી સારવાર દરમિયાન તેમની હાલત નાજુક જણાતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મનહરલાલનું મોત નિપજતા મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે

- text