અહેમદભાઈ પટેલનો વિજય એટલે ગાંધીજીના મૂલ્યોનો વિજય : બ્રિજેશ મેરજા

- text


મોરબી: કોંગ્રેસ નેતા અહેમદ પટેલને રાજ્યસભામાં વિજય મેળવવા બદલ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજા સહિતના આગેવાનોએ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. રાજ્યસભાની ત્રણ બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસના વર્તમાન સભ્ય અહેમદભાઈ પટેલે કોંગ્રસની સફળતાનો માપદંડ બની ગયા છે. અહેમદભાઈ પટેલનો વિજય એટલે કોંગ્રેસના લાખો કાર્યકરોની લોક લાગણીઓ અને ગાંધી મૂલ્યોનો વિજય થયો છે.તેમની આ સિદ્ધિ બાદલ મોરબી જિલ્લા કોંગ્રેસએ અહેમદભાઈ પટેલ સહિતના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, મોહનસિંહ રાઠવા, પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા, સિદ્ધાર્થભાઇ પટેલ, રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસ તમામ ધારાસભ્યો, પ્રદેશ અગ્રણીઓ સહિતના તમામ કાર્યકર્તાઓને ગૌરવ ભર્યા હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.

- text