- text
ટંકારા તાલુકાના ગામ ધણી લક્ષ્મી નારાયણ મંદિરે અષાઢી બીજે ૧૧૧૧ કમળથી રથનો શ્રુગાંર કરી અદ્ભુત રથયાત્રા યોજવામાં આવી હતી. ટંકારામાં હજુ બે દિવસ સુધી રથમા બિરાજમાન ઠાકોરજીની ઝાંખી ભાવિકોને થશે.
ટંકારા શહેરનાં મધ્યમાં બિરાજતા અને સમગ્ર પંથકના આરાધ્ય દેવ શ્રી લક્ષ્મી નારાયણ મંદિર ખાતે અષાઢી બીજ નિમીતે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા યોજાઈ હતી. જેમા હરી ભક્તો દ્વારા દાદાને ૧૧૧૧ કમળ ધરી સુંદર મનોરથ કર્યા હતા. ટંકારામા હજુ બે દિવસ સુધી ઠાકોરજી રથયાત્રા કરી દર્શનનો લાભ આપશે. હવેલીના કિર્તન પણ આ રાજાના દરબારમાં કરવામાં આવે છે જેનો લાભ લેવા પણ અનેક ભક્તો જોડાય છે. ભાવિકોને આ દર્શનનો લાભ લેવા અપીલ છે.
- text