મોરબીમાં 15 વર્ષના તરુણનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


તરુણના આપઘાતથી પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ

મોરબી : શહેરના શનાળા રોડ પર આવેલા વૃંદાવન પાર્કમાં રહેતા કિશોરભાઈ ઠેસીયાના 15 વર્ષના પુત્ર અવધે આજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી નાખતા પટેલ પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
આ બનાવની મળતી વિગત મુજબ આજે સવારે અવધ કિશોરભાઈ ઠેસીયા નામના 15 વર્ષના તરુણે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. હાલ તરુણની ડેડબોડીને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે. પોલીસે આ બનાવની નોંધ કરી તરુણના આપઘાતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. તરુણ હાલ ધોરણ 11માં અભયાસ કરતો હતો, તાજેતરમાં SSCની પરીક્ષામાં સારા ગુણ સાથે પાસ થયો હતો. જયારે તરુણના અઘટિત પગલાંથી પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

- text

- text