- text
મોરબી : આમરણ ગામમાં શ્રી રામજી મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૯થી ૧૧ જુન દરમિયાન યોજાઈ ગયો. આ અવસરે પ.પુ. મહંત શ્રી મોહનદાસજી લાલજી આશ્રમ, ધનજીભાઈ શિવાભાઈ પાંચોટિયા, દેવશીભાઈ કાસુન્દ્રા, દેવશીભાઈ ભાલોડીયા, શાંતિલાલ કાન્સુદ્રા, હસમુખલાલ ગાંભવા, મનસુખભાઈ પાંચોટિયા, જીવરાજભાઈ કાન્સુદ્રા, મનસુખભાઈ ભાલોડીયાએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની યજમાની નિભાવી હતી. ઉપરાંત મુખ્ય આચાર્ય તરુણભાઈ દવે, ઉપાચાર્ય મહેશભાઈ જાની સહિત અનેક સંત-મહંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં રામજી મંદિરનું ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ કાર્ય સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. આ તબક્કે ભવ્ય સંતવાણી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું,
- text