- text
મોરબી : મોરબીના સહેલી સત્સંગ પરિવાર દ્વારા આગામી ૧૭ એપ્રિલને મંગળવારના રોજ મહેન્દ્રસિહજી ટાઉન હોલ નગર પાલિકા ગ્રાઉન્ડ ખાતે જીવન ખુશીઓ કા ખજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
નારાયણ રેકી સત્સંગ પરિવાર (મુંબઈ) ,નારી રત્ન એવોર્ડ વિજેતા રાજેશ્વરીજી મોદી, રાજદીદી નારાયણ સત્સંગ પરિવારના પ્રણેતાના અનમોલ વચનો સાથે મહા સત્સંગનો ભવ્ય કાર્યક્રમ જીવન ખુશીયો કા ખજાના નું આયોજન તા :૧૭ એપ્રિલને મંગળવારના રોજ મહેન્દ્રસિહજી ટાઉન હોલ નગર પાલિકા ગ્રાઉન્ડ મોરબી ખાતે રાખેલ છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે સહેલી સત્સંગ પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
- text
- text