- text
મોરબી : મોરબીમાં પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે મંગળવારે હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારે 7થી સાંજના 7 વાગ્યા સુધી 12 કલાકની ધૂન રાખવામાં આવી છે. દરેક મંડળ તથા ગોપી મંડળને પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે. વધુમાં રાજેશભાઈ નરભેરામભાઈ તથા મહાવીર ફરસાણ તરફથી બપોરના પ્રસાદમાં તેમજ એક સેવક તરફથી સાંજના બટુક ભોજનમાં યોગદાન આપવામાં આવ્યું છે. તેમ યાદીમાં જણાવાયું છે.
- text