મોરબીમાં વૃદ્ધની હત્યાના ગુનામા સંડોવાયેલા ચારને ઝડપી લેતી પોલીસ

- text


મોરબી : મોરબીના રામકૃષ્ણનગરમાં સામાન્ય બાબતે બોલાચાલી બાદ થયેલા ઝઘડામાં શેરીમા રાખેલ ચંપલની લારીને આગ લગાડી સળગાવી નુકશાન કરવાની સાથે ચપ્પલની લારી સળગાવતા દાઝી ગયેલા વૃદ્ધનું મૃત્યુ થવા મામલે હત્યાની કલમનો ઉમેરો કરી સીટી બી ડિવિઝન પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.

મોરબીના રામકૃષ્ણનગરમા ફોનમાં વાત કરવા મામલે ઝઘડો કરી આરોપી શનીભાઇ ઉર્ફે વેલાભાઇ રમેશભાઈ લાલુકીયા, જયદેવસિંહ ઉર્ફે જયુભા પંચાણજી ઝાલા, વિમલભાઇ નટૂભાઇ કામળીયા અને સંદીપભાઇ રાજેશભાઈ બોળાએ ઝઘડો કરી ઘર પાસે પડેલી રેકડી સળગાવી નાખતા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું જેથી હત્યાની કલમનો ઉમેરો કરી ચારેયની ધરપકડ કરી હતી.

- text

આ સફળ કામગીરી સીટી બી ડિવિઝન પીઆઇ કે.એમ.છાસીયા, પીએસઆઇ એસ.વી.સામાણી, હેડ કોન્સ્ટેબલ મહેંદ્રસિંહ અજીતસિંહ, વિજયભાઇ પરબતભાઇ, પોલીસ કોન્સ્ટેબલ મનોજભાઇ નારણભાઇ, શૈલેશભાઇ રવજીભાઇ, તથા સર્વેલંસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- text