હનુમાન જયંતીએ દેરાળાના જખવાડા હનુમાન મંદિરે મારૂતિ મહાયજ્ઞ યોજાશે

- text


માળિયા (મિ.) : દેરાળા ગામે આવેલા સુપ્રસિદ્ધ જખવાડા હનુમાનજી દાદાના મંદિરે હનુમાન જયંતીના પાવન પર્વે મારૂતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

તારીખ 23 એપ્રિલ ને મંગળવારના રોજ હનુમાન જયંતી નિમિત્તે જખવાડા હનુમાનજી દાદાના મંદિરે સવારે 8 કલાકે મારૂતિ મહાયજ્ઞનો પ્રારંભ થશે. ત્યારબાદ સવારે 9-30 કલાકે ધ્વજારોહણ કરાશે. બપોરે 11-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે અને સાંજે 4 વાગ્યે બીડું હોમવામાં આવશે. યજ્ઞના આચાર્ય પદે તરૂણભાઈ દવે (નાની વાવડી) બિરાજશે. તો સર્વે ભક્તજનોને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા જખવાડા હનુમાનજી મંદિરના મહંત અને સમસ્ત દેરાળા ગામ દ્વારા આમંત્રણ પાઠવાયું છે. મહત્વનું છે કે, જખવાડા હનુમાનજીના મંદિરે દર મહિનાની 2 તારીખ 12 કલાકની અખંડ ધૂન યોજાય છે.

- text