તા.16 ફેબ્રુઆરીએ માટેલના ખોડિયાર માતાજી મંદિરે નવરંગો માંડવો યોજાશે

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલા ખોડિયાર માતાજીના મંદિરે ગૌશાળાના લાભાર્થે આગામી તારીખ 16 ફેબ્રુઆરીના રોજ ખોડિયાર માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જય જોગમાયા ગ્રુપ દ્વારા ગૌશાળાના લાભાર્થે આગામી તા.16 ફેબ્રુઆરીના રોજ ખોડિયાર માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરાયું છે. જેમાં સાંજે 7 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. જ્યારે રાત્રે 8-30 કલાકે માંડવો યોજાશે. બીજા દિવસે 17 ફેબ્રુઆરીના રોજ સવારે 5 કલાકે આરતી કરવામાં આવશે અને સવારે 7 કલાકે ધ્વજારોહણ કરાશે. આ નવરંગા માંડવામાં રાવળદેવ ધર્મેશભાઈ રાવળ હાજરી આપશે. તો આ નવરંગા માંડવામાં પધારવા જય જોગમાયા ગ્રુપ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text