વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું વાંકાનેરના વાલાસણ ગામે આગમન

- text


વાંકાનેર : વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ હાલ મોરબી જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ફરી રહ્યો છે અને લોકોને સરકારની યોજનાઓથી જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે પહોંચી હતી.

- text

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે 17 જેટલી વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ લઈ રથ મોરબીના વાંકાનેર તાલુકાના વાલાસણ ગામ ખાતે આવી પહોંચ્યો હતો. જ્યાં ઉપસ્થિત સૌ ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના ભગીરથ કાર્યમાં સહભાગી બનવા પ્રજાજોગ સંદેશો ધ્યાનથી સાંભળ્યો હતો. આ સંદશો સાંભળી ભારતને વિકસિત કરવાના સંકલ્પને સાકાર કરવા પોતાનું યોગદાન આપવા તત્પર બન્યા હતા.

- text