પાટીદાર કરિયર એકેડમી દ્વારા સરકારી ભરતીની પરીક્ષાઓ માટે 24મીથી નિઃશુલ્ક તાલીમ વર્ગ

- text


મોરબી : સમસ્ત પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે સરદારધામ અમદાવાદ એવમ્ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ-મોરબી દ્વારા પાટીદાર કરિયર એકેડેમી કાર્યરત છે. જ્યાં સરકારી ભરતીની પરીક્ષાઓ માટે આગામી તા.24મીથી નિઃશુલ્ક તાલીમ વર્ગ શરૂ થવાના છે.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર થનાર વિવિધ સંવર્ગોની પરીક્ષા માટે નિઃશુલ્ક તાલીમ વર્ગ મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ તા. 20 સુધીમાં http://www.patidarcareeracademy.org  પર અરજી કરવાની રહેશે. અથવા આપેલ નંબર ૯૯૦૯૦૬૦૧૬૧ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. એડમીશન મળેલ દીકરીઓને રહેવા જમવાની વ્યવસ્થા નિઃશુલ્ક કરી આપવામાં આવશે.

- text

- text